Product Description
કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક, અમદાવાદમાં મેગેઝિન એડિટર છે. તેમની ‘ચિંતનની પળે’ કોલમ ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. આ કોલમ અગાઉ ‘ગુજરાત સમાચાર’ દૈનિકની રવિ પૂર્તિ ‘સંદેશ’ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા ‘અભિયાન’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી. ‘ચિંતનની પળે’ લેખોના છ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આ પુસ્તક ચિંતન @24x7 ઉપરાંત લેખકનાં ‘ચિંતનની પળે’ (ચાર આવૃતિ), ‘ચિંતનને ચમકારે’ (ત્રણ આવૃતિ), ‘ચિંતનને અજવાળે’ (બે આવૃત્તિ), ‘ચિંતન rocks’ અને ‘અહા ! ચિંતન’ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આ ઉપરાંત કાના બાંટવા સાથે ‘આમને-સામને’નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે. ‘ચિંતનની પળે’ કોલમ ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં તેમની ‘દૂરબીન’ કોલમ પ્રસિદ્ધ થાય છે. ચિંતનાત્મક લેખો ઉપરાંત સાંપ્રત પ્રવાહના સામાજિક તથા રાજકીય લેખોમાં તેમની કથોટીથી વાચકો સુપેરે પરિચિત છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો તથા રાજકીય લેખોમાં તેમની હથોટીની વાચકો સુપેરે પરિચિત છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો તથા રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. જીવન અને પોઝિટીવ થીકિંગ વિશે તેમનાં પ્રવચનો માણવા પણ લોકોને ગમે છે. આ ઉપરાંત ‘દૂરબીન’ કોલમ કોલમના ચુનંદા લેખોનું પુસ્તક ‘દૂરબીન’ અને ‘સાડા ત્રણ દાયકા જેટલી લાંબી પત્રકારત્વની કરિયર દરમિયાન તેમણે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેમના લેખોમાં માનવીય સંવેદના ખીલી ઊઠે છે. સંબંધ, પ્રેમ, લાગણી અને જિંદગી વિશે તેમનું ચિંતન જરાયે ભારેખમ લાગતું નથી અને દિલને સ્પર્શી જાય છે.
Product Details
Title: | Chintan @ 24 X 7 (Hb) |
---|---|
Author: | Krishnkant Unadkat |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184409529 |
SKU: | BK0416769 |
EAN: | 9788184409529 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 01 January 2014 |